સ્વાસ્થ્ય

શિયાળા માં ઇમ્યૂનિટી વધારવા માટે ખાઓ આમળા

આમળા એક એવું સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આમળા માં ભરપૂર પ્રમાણ માં વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આમળા ની ખાસ વાત એ છે કે તેને કેટલીય રીતે ખાઇ શકાય છે. કેટલાક લોકો આમળા નો મુરબ્બો ખાય છે, તો કેટલાક લોકો આમળા નો જ્યુસ, ચટણી અથવા અથાણું બનાવી ને પોતાની પસંદ અનુસાર તેનું સેવન કરતા હોય છે. શિયાળા માં ગોળ ની સાથે આમળા નું સેવન કરવા થી શરીર માં ગરમી જળવાઇ રહે છે અને કેટલીય બીમારીઓ થી દૂર પણ રહેવાય છે. શિયાળા માં આમળા નું સેવન કરવા થી ઇમ્યૂનિટી જળવાઇ રહે છે જેનાથી શરદી-ખાંસી થી બચી શકાય છે. જાણો, શિયાળા માં આમળા કેમ ખાવા જોઇએ?

Advertisement

ઇમ્યૂનિટી મજબૂત કરે છે

Advertisement

Advertisement

આમળા માં ભરપૂર પ્રમાણ માં વિટામિન સી મળી આવે છે. આ શરીર ના ઇમ્યૂનિટી પાવર ને મજબૂત કરવા માં મદદ કરે છે જેનાથી શરીર બહાર ના સંક્રમણ થી બચી શકે છે.

Advertisement

હૃદય માટે ફાયદાકારક

Advertisement

આમળા માંથી મળી આવતું વિટામિન-સી હૃદય ના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જે લોકો બેડ કૉલેસ્ટ્રોલ ની સમસ્યા સામે લડી રહ્યા છે, તેમણે આમળા નું સેવન કરવું જોઇએ.

Advertisement

સ્કિન ને સુંદર બનાવે

Advertisement

સ્કિન ની સુંદરતા જાળવી રાખવા માટે પણ વિટામિન સી જરૂરી હોય છે. વિટામિન સી નું સેવન કરવા થી સ્કિન ટાઇટ રહે છે. ત્વચા પર જલ્દી કરચલીઓ પડતી નથી. સ્કિન માં ગ્લો જળવાઇ રહે છે. તેના માટે તમે ઇચ્છો તો દહીં માં આમળા પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

Advertisement

સોજો ઓછો થાય છે

Advertisement

શરીર માં રહેલ ફ્રી રેડિકલ્સ હાર્ટ અને સ્કિન ની સાથે શરીર ની ઇમ્યૂનિટી પર પણ ખરાબ અસર કરે છે. હકીકત માં ફ્રી રેડિકલ્સ શરીર ના સોજા માટે પણ જવાબદાર હોય છે, જે કેટલીય બધી બીમારીઓ ને જન્મ આપવા નું કામ કરે છે. પરંતુ આમળા માં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ, ફ્રી રેડિકલ્સ ને ન્યૂટ્રલાઇઝ કરી ને શરીર ના સોજા ને દૂર કરવા માં મદદ કરે છે.

Advertisement
Advertisement