‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નો ડંકો અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મ દર્શકો ને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે બોલિવૂડ ના વધુ એક દિગ્દર્શક વિનોદ કાપરી તેમની આગામી ફિલ્મ ‘ગુજરાત ફાઇલ્સ’ બનાવવા માટે તૈયાર છે. તેણે આ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સવાલો પણ કર્યા છે.
વિનોદ કાપરી હવે મોદી ને વિનંતી કરી ગુજરાત ફાઇલ્સ બનાવશે
કાશ્મીરી પંડિતો પર બનેલી વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હાલ માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકો ને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે બોલિવૂડ ના વધુ એક દિગ્દર્શક વિનોદ કાપરી તેમની આગામી ફિલ્મ ‘ગુજરાત ફાઇલ્સ’ બનાવવા માટે તૈયાર છે. તેણે આ અંગે ટ્વીટ પણ કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સવાલો પણ કર્યા છે.
मेरे इस ट्वीट के बाद कुछ निर्माताओं से मेरी बात भी हो गई । वो #GujaratFiles को प्रोड्यूस करने को तैयार हैं। उन्हें बस ये आश्वासन चाहिए कि जिस freedom of expression की बात प्रधानमंत्री @narendramodi जी अभी कर रहे हैं , वही भरोसा वो इस फ़िल्म के लिए भी दें। https://t.co/xmx5YAhJbJ
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022
‘પીહુ’, ‘મિસ થનકપુર હાજીર હો’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા વિનોદ કાપરી એ આ ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટેગ કર્યા છે અને કહ્યું છે કે, ‘#GujaratFiles’ ના નામે ગુજરાત ફાઇલ્સ, તથ્યો ના આધારે. હું એક ફિલ્મ બનાવવા તૈયાર છું અને તેમાં તમારી ભૂમિકા નો પણ વિગતવાર ઉલ્લેખ કરવા માં આવશે. શું તમે આજે દેશ ની સામે મને આશ્વાસન આપશો કે નરેન્દ્ર મોદી જી ફિલ્મ ની રિલીઝ ને અટકાવશે નહીં?’
આ પછી વિનોદ કાપરી એ વધુ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ માં તેણે લખ્યું છે કે, ‘મારા આ ટ્વીટ પછી મેં કેટલાક નિર્માતાઓ સાથે વાત પણ કરી હતી. તે #GujaratFiles બનાવવા માટે તૈયાર છે. તેમને બસ એ ખાતરી ની જરૂર છે કે વડાપ્રધાન જે અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ની વાત કરી રહ્યા છે, તે જ ખાતરી તેમણે આ ફિલ્મ માટે પણ આપવી જોઈએ.
તમને જણાવી દઈએ કે વિનોદ કાપરી એ આ ટ્વિટ વડાપ્રધાન ના એક વીડિયોવાળા ટ્વિટ પર કર્યું છે, જેમાં તેઓ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. આ વીડિયો માં પીએમ કહેતા જોવા મળી રહ્યા છે, ‘જે લોકો અભિવ્યક્તિ ની સ્વતંત્રતા નો ઝંડો લઈને ફરે છે, આખું જૂથ છેલ્લા 5-6 દિવસ થી ચોંકી ગયું છે. તેઓ તથ્યો ના આધારે નહીં, પરંતુ કલાના આધારે ચર્ચા કરી રહ્યા છે. કોઈ સત્ય ઉજાગર કરવા ની હિંમત કરે તો તેણે જે સત્ય લાગ્યું તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સત્ય ને સમજવા ની તૈયારી નથી કે દુનિયા જોવાની મંજુરી નથી, છેલ્લા 5 થી જે પ્રકાર નું ષડયંત્ર ચાલી રહ્યું છે.’